ગોધરા તાલુકાના ટીમ્બા ગામે ર્ડા. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

ગોધરા,પંચમહાલ જીલ્લાના ટીમ્બાગામ ડો.બાબાસાહેબ આંબેડકર ચોકમાં બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો.ભીમરાવ આંબેડકરજી ની 132મી જન્મ જયંતી અંતર્ગત તા:14/04/23ને શુક્રવારના દિવસે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર ચડાવી જયઘોષ સાથે કેક કાપી ભારે સુત્રોચાર કરવામાં આવ્યું. જેમાં ગોપાલભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ તથા શ્યામા સોલંકી, કાવ્યા મકવાણા, જીયા મકવાણા દ્વારા બાબાસાહેબના જીવન કવન વિશે ખૂબ સુંદર વકતવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાન પ્રફુલભાઈ પટેલ, સ્મારક સમિતિના પ્રમુખ રાકેશભાઈ મકવાણા, ડી.પી.મકવાણા, રાજેશ સોલંકી, ભાવેશ રાઠોડ, ચંપાબેન ગોઠડા, સરપંચ પ્રવીણભાઈ ડેરોલા તથા સમગ્ર ટીમ આયોજકો, સમાજ બંધુઓ, મહિલાઓ અને બાળકો તથા ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહી આકર્ષક ટોપી અને ધજા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ઉજવણી દરમ્યાન એલ્ડર લાઈન-14567ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર ભુપેન્દ્રસિંહ મકવાણા દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એલ્ડર લાઈન વિશે પણ પેમ્પ્લેટ આપી માહિતી આપવામાં આવી હતી.