ગોધરાની શેઠ પી.ટી.આર્ટ્સ સાયન્સ કોલેજના વાર્ષિક એન.એસ.એસ. કેમ્પ નો પ્રારંભ

ગોધરા,
શેઠ પી.ટી.આર્ટ્સ સાયન્સ કોલેજ, ગોધરા ના વાર્ષિક એન.એસ.એસ. કેમ્પ નો પંચમહાલના કલેક્ટર અમિત અરોરા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનું ઉદઘાટન ડોક્ટરના મુવાડા ગામ ખાતે હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.બી.પટેલ, જે એલ. કે કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ. ગારડી કોમર્સ કોલેજ કાંકણપુરના પ્રિન્સિપાલ ડો. જૈમિની શાસ્ત્રી, ડો. સુરેશ ચૌધરી, ડોક્ટરના મુવાડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ જશપાલસિંહ સોલંકી, ડાયેટ પંચમહાલ ના કોરડીનેટર ઉપરાંત એન.એસ.એસ. ના ૬૫ જેટલા વિદ્યાર્થીઓ શિબિરમાં જોડાયા હતા. કલેક્ટર અમિત અરોરા વિદ્યાર્થીઓને ખાસ પરિણામ લક્ષી કાર્યો કરવા જણાવ્યુ હતુ.

આવા કેમ્પ થી વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ ખુબજ વધે છે અને કોરોના કાળ પૂરો થવા આવ્યો છે. ત્યારે કોવિડ-૧૯ પ્રોટોકોલ પ્રમાણે થતી આ શિબિર ના કાર્યક્રમોની ખુબજ પ્રસંસા કરી હતી. ડો. ‚પેશ નાકરે પ્રોગ્રામ ઓફિસર, એનએસએસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. તેમણે સમગ્ર ૭ દિવસ ના આગામી કેમ્પમાં થતાં કાર્યક્રમો જેવા કે વેક્સિનેશન ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ, વ્યસન મુક્તિ ના કાર્યક્રમો, કલ્ચરલ પ્રોગ્રામ, રેલી, ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ વગેરે ની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. જાનકી પટેલે સમગ્ર સંચાલન તથા ગ્રૂપ લીડરો તરીકે કોમલ વરિયા અને સાર્થક દરજીએ ખાસ સેવા આપી હતી. બંને કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.બી.પટેલે કોલેજે ભૂતકાળમાં કરેલા કાર્યોની માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. જ્યારે ડો. જૈમિની શાસ્ત્રી યુવાનો દેશ નું ભવિષ્ય છે તથા પંચમહાલ પ્રસાસન દ્વારા અને એનએસએસ સ્વયંસેવકો દ્વારા ક્રોરોના કાળમાં થયેલ કાર્યોની પ્રસંસા કરી હતી અને અંગે વિદ્યાર્થીઓના આ પ્રયાસ ને વધાવ્યો હતો. જસપાલસિંહ સોલંકીએ ખાસ ગામ અને શાળા તરફથી વિદ્યાર્થીઓને શિબિરમાં પૂર્ણ સહકાર મળસે તેની ખાતરી આપી હતી. આ શિબિર ડોક્ટરના મુવાડા પ્રાથમિક શાળા ખાતેથી ગામમાં કુલ ૭ દિવસ ચાલશે. જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા વીવીધ સેવાકીય પ્રવુતિઓ ગામમાં થશે.

Don`t copy text!