ગોધરા શહેરમાં આવેલ રેલવે ફાટક ની સામે ખોડીયાર ઇલેક્ટ્રોનિક ની ગલીમાં રહેતી દીકરીઓએ માન્યતા તોડી સ્મશાનમાં જઇ પુત્ર ધર્મ’ નિભાવ્યો

ગોધરા, ગોધરા શહેરના રેલ્વે ફાટકની સામે આવેલ ખોડીયાર ઇલેક્ટ્રોનિક ની ગલીમાં રહેતા ગજાનંદ હરીશંકર ઠાકર ઉંમર વર્ષ 87નું અવસાન થતાં, તેમની ત્રણ દીકરી શીતલબેન કોમલબેન અને મુક્તાબેન તેમજ સ્નેહી-સગા સાથે ત્રણેય દીકરીઓએ કાંધ આપી હતી. એટલું જ નહીં, હૃદય કઠણ કરીને દીકરીઓએ પિતાની ચિતાને મુખાગ્નિ આપી અગ્નિસંસ્કાર પણ કર્યા.આ તકે જાણવા મળતી વિગત અનુસાર, ગોધરા શહેરના રેલવે ફાટક ની પાસે આવેલ ખોડીયાર ઇલેક્ટ્રોનિક ની ગલીમાં રહેતા ગજાનંદ હરીશંકર ઠાકરને ત્રણ દીકરીઓ છે.જ્યારે દીકરા રાકેશ ઠાકરનું દસ વર્ષ પહેલાં અવસાન થયું હતું. જેના કારણે ત્રણેય દીકરીએ દીકરાની ખોટ ક્યારેય ન વર્તવા દીધી નથી. આ ત્રણેય દીકરી જ દીકરા સમાન જ રહી હતી. પિતાની છત્રછાયામાં મોટી થયા પછી જ્યારે એ જ પિતાનું નિધન થયું, ત્યારે અંતિમ સંસ્કાર કોણ કરશે, તેવી ચિંતા વચ્ચે દીકરીઓ જ આગળ આવી હતી. સામાન્ય રીતે મહિલાઓ સ્મશાને જતી નથી, પરંતુ ગોધરા શહેરના રેલવે ફાટક ખોડીયાર ઇલેક્ટ્રોનિક ની ગલીમાં રહેતા ત્રણેય બહેનોએ પિતાને કાંધ આપી, સાથોસાથ પિતાની ચિતાને ભારે હૈયે મુખાગ્નિ આપી હતી.