ગોધરા શહેરમાં ચાર માથાભારે વ્યકિતઓ દ્વારા જમીન માલિકને ધાક ધમકી આપતા જમીન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી.

ગોધરા,ગોધરા શહેરમાં ચાર માથાભારે વ્યક્તિઓ દ્વારા જમીન માલિક અને તેમની પત્નીને તમારી જમીન અમને વેચાતી આપી દો અને તમે અમને જમીન વેચાતી નહિ આપો તો તમને અહીથી નીકળવા નહિ દઈએ તેમ કહી મારામારી કરી સરકારના જાહેરનામાનો ભંગ કરતા જમીન માલિક દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, ભોઈવાડા ખાતે રહેતા જીતેન્દ્ર અશોકભાઈ ભોઈ એ ગોધરા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓની જાફરાબાદ કાંસુડી રોડ ખાતે જમીન આવેલી છે. જ્યાં હું મારી માતા અને મારી પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે અમારા બાજુના ખેતરના માલિક અશોક પટેલ તથા દક્ષેશ પટેલ (રહે.ચાંદની ચોક, ગાંધી આશ્રમ પાસે, ગોધરા)તેમજ ટીનાભાઈ ભરવાડ(રહે. ભામૈયા) અને સુરેશભાઈ ઉર્ફે શન્ની આહુજા સિંધી (રહે.આનંદ નગર)એમ ચારેય જણા અમારા ખેતરવાળા ઘરે આવી અમને કહેતા હતા કે તમારી જમીન અમને વેચાતી આપી દો. ત્યારે અમે કીધું હતું કે, અમારે કોઈ જમીન વેચવી નથી. તેમ કહેતા આ ચારેય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને અમને બિભત્સ શબ્દો બોલી રહ્યા હતા અને અમને જમીન વેચાતી નહિ આપો તો તમને અહીથી નીકળવા નહિ દઈએ. તેમજ મારી માતા અને મારા પત્નીને માર માર્યો હતો. ત્યારે સુરેશભાઈ ઉર્ફે શન્ની આહુજા સિંધી એ તેના હાથમાંની લાકડી મારી પત્ની કપિલાબેનને મારતાં અમે વચ્ચે છોડવવા પડતા અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે પોલીસે ચારેય ઈસમો સામે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.