ગોધરા પાવર હાઉસ વાલ્મીકીવાસમાં ર્માં અંબેના 16માં પાટોત્સવએ શોભાયાત્રા નિકળશે

ગોધરા,ગોધરા પાવર હાઉસ વાલ્મીકીવાસ ખાતે પરમપૂજ્ય યોગી, શ્રી ગિરનારી બાપુ 108 સનાતન ધર્મના પુનરૂધ્ધારક પુરાણ કાળની પ્રતિમા સમા લાગતા આર્ય સંસ્કૃતિની ભાવનાનું કેન્દ્ર સ્થાન લાગતા 108 યોગી ગિરનારી બાપુના પટ્ટ શિષ્ય 108 કૃષ્ણાનંદજી બાળ બ્રહ્મચારી જંત્રાલ સીતારામ બાપુના સાંનિધ્ય હેઠળ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા 16 મો પાટોત્સવ તા. 22-4-24 થી તા.23-4-24 એમ બે દિવસ મહાઆરતી તેમજ ગોધરાનગરમાં જગત જનની માં અંબેની ભવ્ય શોભાયાત્રાનું આયોજન સહિત મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

ચૈત્ર સુદ 14ને તા. 22-4-24ના રોજ રાતે 9 કલાકે વાલ્મીકી વાસ ખાતે ગોધરાના અધિવકતા પરિમલભાઈ ડી પાઠક અને જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી વરદ હસ્તે મહાઆરતી તથા ગુજરાતી કલાકારોના સથવારે ભવ્ય લોકડાયરો યોજવામાં આવશે જેમાં ગુજરાતી અભિનેત્રી અને ગાયક કલાકાર નેહા સુથાર સિંગર જીગર ઠાકોર, વનરાજ બારોટ, ચિંતન પ્રણામી, વિજય ગઢવી ,અશ્ર્વિન ભુવાજી સહિતના કલાકારો ઉપસ્થિત રહી રમઝટ બોલાવશે.

જ્યારે ચૈત્ર સુદ પુનમ તા. 23-4-24ના રોજ જંત્રાલના આંબાવાડી આશ્રમમાં બિરાજેલ 108 કૃષ્ણાનંદજી બાળ બ્રહ્મચારી સીતારામ બાપુ તથા જગતજનની માં અઁબેના ભવ્ય શોભાયાત્રા સવારે 11 થી 1 કલાક દરમ્યાન ભુરાવાવ ચાર રસ્તાથી સતનામ સાક્ષી થઈ વાલ્મીકી વાસના નિજ ખાતે પરત લાવવામાં આવશે. ત્યારે બપોરે 1થી 3 કલાક દરમ્યાન માતાજીના ભવ્ય મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ છે.

જગત જનની માં અંબેના 16મો પાટોત્સવ દરમ્યાન સમસ્ત વાલ્મીક સમાજ દ્વારા ગોધરા નગરમાં તમામ માઈભક્તોને માતાજીની શોભાયાત્રા તથ મહાપ્રસાદીનો લાભ લેવા ભાવભીન આમંત્રણ પાઠવવામાં આવેલ છે.