ગોધરા પશ્ચિમ વિસ્તારમાં રખડતા શ્વાનોના ત્રાસને લઈ પાલિકા પ્રમુખને આવેદન આપી પાંજરે પુરવા માંગ કરાઈ

ગોધરા,ગોધરાના પશ્ચિમ મુસ્લીમ સમાજમાં રખડતા શ્વાનો વાહનો પાછળ દોડવાની તેમજ વાહન ચાલકો અને રાહદારીઓને બચકાં ભરવાની સમસ્યાને લઈ ગોધરા પાલિકા પ્રમુખને આવેદન આપી શ્વાનોને પાંજરે પુરવા માંગ કરાઈ છે.

ગોધરા પશ્ર્ચિમ વિસ્તારમાં રખડતા શ્ર્વાનોને ત્રાસ વધી ગયો છે. શ્વાનોનું ટોળું અચાનક વાહનો પાછળ દોડતું હોય અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને અનેક વખત બચકા ભરવાની ધટનાઓ બની રહી છે. વાહનો પાછળ શ્ર્વાનો દોડવાને લઈ અવારનવાર અકસ્માતની ધટનાઓ પણ સામે આવી છે. આગામી દિવસોમાં મુસ્લીમ સમાજના પવિત્ર રમઝાન માસની શરૂઆત થનાર છે. વહેલી સવારે તેમજ સાંંજે ઈબાદત માટે મસ્જીદમાં જતા હોય છે. ત્યારે આવા રખડતા શ્વાનોને લઈ કોઈ જાનહાનિ ન થાય તે માટે પાલિકા દ્વારા આવા રખડતા શ્ર્વાનને પાંજરે પુરવામાં આવે તેવી માંગ સાથે એડવોકેટ હસનેન પ્રેસવાલાએ પાલિકા પ્રમુખને આવેદન આપવામાં આવ્યું.