ગોધરાના ગાંધી આશ્રમ ખાતે સ્વાતંત્ર્ય સેનાની મામા સાહેબ ફડકેની પ્રતિમાનું ધારાસભ્યના હસ્તે અનાવરણ કરાયુંં

ગોધરા,ગોધરા શહેરમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની મામાા સાહેબ ફડકેની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહાનુભવો ઉપસ્થિત દીપ પ્રાગટ્ય કરી મામા સાહેબ ફડકેની પ્રતિમાને પુષ્પાંજલિ કરી પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવી હતી.

આજરોજ ગોધરા શહેરમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે મામા સાહેબ ફડકેની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રાગટ્ય કરી મામા સાહેબ ફડકેની પ્રતિમાને પુષ્પાંજલિ કરી પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવી હતી. ખંડુભાઈ પરમાર તથા સાહિત્યકાર વિનોદ ગાંધીએ સ્વાતંત્ર્ય વીર, વાલ્મીકિ સમાજ અને અંત્યજનો માટે જાત ઘસી નાખનાર સ્વાતંત્ર્ય સેનાની, પદ્મ ભૂષણ, સ્વ. મામા સાહેબ ફડકેની પ્રતીમા બનાવવા માટે સતત પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. જે પ્રયત્નોના ફળ સ્વરૂપે આજે અનાવરણ સમારોહ અંતર્ગત ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં કાંતિભાઈ પરમાર, જેઠાભાઈ પરમાર, અનિલ પરમાર, રમેશચંદ્ર કોટવાલ અને નરેન્દ્ર પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.