ગોધરા મજૂર અદાલત દ્વારા કામદાર વળતર ધારા 1923 ની કલમ 4 ની જોગવાઈ હેઠળ ગુજરનારના વારસોને રૂા.7,97,600 તથા તે રકમ ઉપર 50% પેનલ્ટી તેમજ 12% વ્યાજ અંતિમ સંસ્કારની રકમ ચૂકવી આપવાનો આદેશ

ગોધરા, પંચમહાલ જીલ્લા ગોધરા ખાતે આવેલ મજુર અદાલત સમક્ષ અકસ્માત પામેલા ટ્રક ડ્રાઇવર જેઓ વર્ષોથી સામા વાળા ટ્રક માલિક જુબેદાબેન મહંમદ બીબ બંધીની ટ્રક નંબર જીજે.6.ઝેડ.8135 ઉપર વર્ષોથી ડ્રાઇવર તરીકે બજાવતા અરવિંદભાઈ જેવોનો તારીખ 1.1.15 ના રોજ ફરજ ઉપર હાજર હતા. તે સમય દરમિયાન અંકલેશ્ર્વર નજીક વડોદરા-મુંબઈ હાઈવે ઉપર આવેલ તિરંગા હોટલ પાસે અકસ્માત થતા તેમનું અકાળે અવસાન થઈ જતા તેમના વાલી વારસ જશોદાબેન અરવિંદભાઈ પટેલિયાની વારસ પત્ની તેમજ અન્ય વારસો એ જનરલ વર્કર યુનિયનના પ્રમુખ જે.કે.વેદનો સંપર્ક કરી મજુર અદાલત ગોધરા સમક્ષ ટ્રક માલિક અને ધી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ગોધરા સામે વળતરનો દાવો દાખલ કરેલ એનો WC ફેટલ કેસ નંબર 16/15 થી દાખલ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા અરજદાર તરફે જે.કે.વૈદ હાજર રહી ધારદાર દલીલો કરતા તારીખ 4.10.23ના રોજ મજૂર અદાલત ગોધરા સમક્ષ કરેલ જે પડેલા પુરાવા આધારિત દલીલો ધ્યાને લઈ પંચમહાલ જીલ્લાની મજુર અદાલતના કર્મચારી વળતર ધારા હેઠળ નિમાયેલ કમિશનર એચ.એ.મકા દ્વારા આખરી હુકમ કરતા ગુજરનાર વારસોને વળતર પેટે રૂપિયા 7,97,600 તથા 50 ટકા પેનલટીની રકમ રૂા. 3,98,800 અંતિમ ક્રિયા માટે રૂપિયા 5000 તેમજ ખર્ચ પેટે રૂા.5,000 ચૂકવવાનો સામા વાળાઓને આદેશ કરેલ છે. આદેશથી મૃતકના પરિવાર તે રકમ મળવાથી આર્થિક રાહત અનુભવી છે.