ગોધરામાં ફુડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓમાં કરાયું સઘન ચેકીગ

ગોધરા, ગોધરામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા બસ સ્ટેશન થી બગીચાના વિસ્તારમાં આવેલ કુલ-18 ખાણીપીણીની લારીઓમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ ખાણીપીણીની લારીઓમાંથી કુલ-4 શંકાસ્પદ નમુનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ સાથે તપાસ દરમ્યાન બિન આરોગ્યપ્રદ ક્લરવાળી ચટણીનો 60 લીટર, કલર 1.5 કિ.લો અને આજીનો મોટોનો 1 કિ.ગ્રાનો જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે. 3 લારીઓને ફુડ સેફ્ટી એકટ, રૂલ્સ, રેગ્યુલેશન હેઠળ નોટીસ ફટકારવામાં આવી હતી. ખાણીપીણીની લારીઓમાં ચેકીંગથી વેપારીઓમાં ફેળસેલ કરવા અંગે ડર ફેલાયો છે. તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.