ગોધરામાં જાફરાબાદની શાળામાં વિદ્યાર્થીઓને વચ્ચે નજીવી વાતે થયેલી મારામારીની ઘટનામાં વાલી દ્વારા છાત્રને ફટકાર્યો.

જાફરાબાદની શાળામાં વિદ્યાર્થીઓને વચ્ચે નજીવી વાતે થયેલી મારામારીની ઘટના બાદ વિદ્યાર્થિના વાલી દ્વારા એક વિદ્યાર્થી ને મારમારતા વિદ્યાર્થીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાની અરજી ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકે આપી છે.

ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટેકનો સ્કૂલ આવેલી છે. જેમાં બે દિવસ અગાઉ શાળામાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી વાતે મારામારીની ઘટના બની હતી. જે બાદ બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીના વાલી શાળામાં આવ્યા હતા. શાળામાં આવેલા વાલી દ્વારા એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જેમાં માથાના ભાગે તેમજ કાનના ભાગે ઈજાઓ પહોંચતા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે વિદ્યાર્થીને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીના વાલી દ્વારા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવા માટે અરજી આપવામાં આવી છે.