ગોધરા જાફરાબાદ આનંદનગરના બંધ મકાન માંથી રોકડ અને દાગીના મળી 1.51 લાખની ચોરી કરતાં તસ્કરો

ગોધરા, ગોધરાના જાફરાબાદ વિસ્તારના આનંદ નગર સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાનુંં તાળું તોડી ધરમાં પ્રવેશ કરી દાગીના, રોકડા મળી કુલ 1,51,000/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી જતાં ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના જાફરાબાદ વિસ્તારના આનંદ નગર સોસાયટી એ 49માં રહેતા તુષારભાઈ મધુસુદન ઉપાધ્યાયના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ધરના મુખ્ય દરવાજાનું તાળું તોડી કબાટ માંંથી 85,000/-રૂપીયા રોકડ, સોનાનુંં મંગળસૂત્ર, ત્રણ જોડી કાનની બુટ્ટી, સોનાની ચેઈન મળી કુલ 1,51,000/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.