ધોધંબાના કણવી પાલ્લી ગામના તલાટી કમ મંત્રીએ ખોટું લગ્ન પ્રમાણપત્ર બનાવી ગુનો કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ

ધોધંબા તાલુકાના કણબી પાલ્લી ગામના તલાટી કમ મંંત્રી દ્વારા ખોટું લગ્ન પ્રમાણપત્ર બનાવી ગુનો કર્યો હોવાની ગોધરા ધાનકાવાડના રહિશ દ્વારા ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના ધાનકાવાડ વિસ્તારમાંં રહેતા જશવંતલાલ નથ્થુમલ પહેલજાણીએ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ધોધંબાના કણબી પાલ્લી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ 4 માર્ચ પછીના સમયગાળા દરમિયાન ફરિયાદીની પુત્રી કૃપાલીબેનના લગ્ન નિખિલકુમાર અર્જુનભાઇ ચૌહાણ સાથે થયા હોવાનું ખોટું લગ્ન પ્રમાણપત્ર બનાવી ગુનો આચાર્યની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે તલાટી સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.