ધોધંબા ભોજપુરાના સિવિલમાં સારવાર માટે લાવેલ વ્યકિત કયાંંક ગુમ થઈ જતાં ગોધરા એ ડીવીઝનમાં લેખિત ફરિયાદ

ધોધંબા તાલુકાના ભોજપુરા ગામે રહેતા હર્ષદભાઇ અરવિંદસિંહ પરમારના પિતા અરવિંદસિંહ અંંદરસિંહ પરમારને હાથમાં વાગેલ હોવાથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ માંથી 26 જુનની રોજ રાત્રીના 12 વાગ્યા પછી કયાંક ગુમ થઈ ગયેલ છે. તેમના સગાંસંબંધીમાં પુછપરછ કરતાં મળી આવેલ ન હોય આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ગુમ થયાની લેખિત અરજી આપવામાં આવી.