ઘોઘંબા ખાતે ખાનગી બસની ટકકરે બાઈક ચાલકનું કરૂણ મોત

ઘોઘંંબા,

ઘોઘંબામાં ખાનગી બસ અને બાઈકના અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત સ્થળે પહોંચી ખાનગી બસ ચાલકને પોલીસ મથકે લઈ જઈ મૃતદેહને પીએમ માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી.

બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત કાલોલ બેઠક ઉપર પીએમ મોદીની જાહેરસભાને લઈ ગોધરા થી વડોદરા તરફનો ટ્રાફિક ઘોઘંબા તરફના માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જેનાં કારણે માર્ગ ઉપર વાહન વ્યવહાર વધી જવા પામ્યો હતો. જેમાં ઘોઘંબા થી રવેરી તરફ જઈ રહેલા ઘોઘંબા ગામના ઓડ ફળિયામાં રહેતા અને ચાર દીકરીના પિતા પરેશભાઈ પ્રભાતભાઈ ઓડ કે જેઓ ઈંટો બનાવવના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા હતા. તે આજે બપોરે પોતાની મોટર સાયકલ લઈ જઈ રહ્યા હતા. ત્યારે તેઓની બાઇકનું ખાનગી બસ સાથે અકસ્માત સર્જાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સ્થળે પહોંચી ખાનગી બસ ચાલકને પોલીસ મથકે લઈ જઈ મૃતદેહને પીએમ માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી.

Don`t copy text!