ગરબાડા ક્ધયાશાળામાંં વિદ્યાર્થીઓને તિથી ભોજન કરાવાયું

ગરબાડા,તાલુકા ક્ધયા શાળા ગરબાડા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સ્વ.મોહિન્દ્રાબેન અજીતસિંહ રાઠોડની સુપુત્રી નિયતિબેન અર્જુનભાઈ રોઝ તરફથી શાળાની વિદ્યાર્થીનીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. નિયતિબેન તેમજ રાઠોડ પરિવારની ઉદાર ભાવના શાળા માટે હંમેશા ફળદાયી નીવડી છે. માતા-પિતાના ઉમદા વિચારો વારસામાં જ મળી આવેલા હોવાથી સ્વ.મોહિન્દ્રાબેન અજીતભાઈ રાઠોડનો પરિવાર અવારનવાર તિથિ ભોજન આપી તેમજ શાળાની સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર બની પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે.