ફતેપુરા તાલુકાના બલૈયામાં કલાલ સમાજના માંદગીમાં સપડાયેલા એક 55 વર્ષીય મહિલાનું મોત નીપજતા દીકરીઓએ મુખાગ્ની આપી

ફતેપુરા તાલુકાના બલૈયામાં કલાલ સમાજના માંદગીમાં સપડાયેલા એક 55 વર્ષીય મહિલાનું મોત નીપજતા દીકરીઓએ મુખાગ્ની આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે રહેતા પ્રેમીલાબેન દિલીપભાઈ કલાલ થોડા સમયથી માંદગીમાં સપડાતા ખાટલા વસ હતા. અને તેઓની સાર સંભાળ તેમની પુત્રીઓ તથા પરિવાર રાખતો હતો.જેઓને સંતાનમાં પુત્રો નથી પરંતુ ત્રણ પુત્રીઓ છે.

આ ત્રણેય પુત્રીઓના લગ્ન થઈ ગયેલા છે.જ્યારે પતિ ગત છ વર્ષ અગાઉ હાર્ટ એટેક ની બીમારીથી મરણ ગયેલ છે.જ્યારે પ્રેમિલાબેન કલાલનું બુધવારે માંદગીના કારણે મોત નીપજતા દીકરાની ખોટ દીકરીઓએ નિભાવી મૃતક માતાને મુખાગ્ની આપી બલૈયા સુકી નદી ખાતે અંતિમ સંસ્કાર કર્યા હતાં. હતા.