ડો સી કે ટીંબડીયા કુલપતિ પદ માટેની લાયકાત ધરાવતા નથી,કોંગ્રેસ

કુલપતિના પદ પર નિમણૂક માટે યુજીસીના ધોરણો મુજબ પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનો અનુભવ ફરજિયાત છે. ઉપરાંત સર્વોચ્ચ અદાલતનો ચુકાદો છે કે વાઇસ ચાન્સેલર પદ માટે પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનો અનુભવ જરૂરી છે. પરંતુ આ તમામ જોગવાયો અને સુપ્રિમ કોર્ટના છેલ્લા હુકમને અવગણીને નવસારી કૃષિ યુનિવસટીમા એસોશીએટ પ્રોફેસર ડો સી કે ટીંબડીયાને ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવસટીના (ગુજરાત નેચરલ ફામગ સાયન્સીસ યુનિવસટી) કુલપતિ પદે તા.૦૯.૦૮.૨૦૨૩ ના રોજ નિમણુક આપવા આવેલ છે જે સંપુર્ણ ગેરબંધારણીય અને કાયદા વિરુદ્ધ છે. રાજ્ય સરકારનુ આ પગલુ સરકારના વહીવટ ઉપર અનેક સવાલ ઉભા કરનારુ હોય ડો સી કે ટીંબડીયાને વહેલીતકે સદરહુ યુનિવસટીના વાઇસ ચાન્સેલર પદેથી દુર કરવાનો હુકમ કરવામા આવે.

રાજય સરકારને અમારો સીધો સવાલ છે કે નિયમ ૭.૩ (૨) સ્પષ્ટ કરે છે કે યુનિવસટીના વાઇસ ચાન્સેલરની જગા માટેની અરજીઓ મેળવવા છાપામાં જાહેરાત પ્રસિધ કરવાની રહે છે,આવેલ અરજીઓના નમુના તૈયાર કરવાના રહે છે, જેથી રજુ થયેલ અરજીઓની તુલનાત્મક/ સરખામણી કરી શકાય. આવી કોઇ પ્રક્રીયા શા માટે કરવામા આવી નથી આવા બીજા અનેક સવાલો યુનિ.ના કુલપતિની નિમણુક સાથે જોડાયેલા છે.ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલની સ્પષ્ટ માંગ છે કે રાજય સરકારે વહેલીતકે ગુજરાત નેચરલ ફામગ સાયન્સીસ યુનિવસટીના કુલપતિ પદેથી ડો.સી.કે.ટીંબડીયાને દુર કરવાનો હુકમ કરે.