ચંડીગઢ, પંજાબ-હરિયાણા હાઈકોર્ટે શ્રી ગુરુ નાનક દેવના અવતાર અને શીખોના ૧૨મા ગુરુ હોવાના તેમના દાવાને ખૂબ જ ગંભીર મામલો ગણાવીને અરર્જીક્તા વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે ધર્મને યાનમાં લીધા વિના, અપમાન એ જઘન્ય અપરાધની શ્રેણીમાં આવે છે કારણ કે તે સમાજને ખરાબ રીતે અસર કરે છે.
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ હિમાચલ પ્રદેશના કાંગડાના રહેવાસી સંજય રાય વિરુદ્ધ અમૃતસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તે શીખોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સંજયનો એક વીડિયો છે, જેમાં તે પોતાને શ્રી ગુરુ નાનક દેવજીનો અવતાર હોવાનો દાવો કરી રહ્યો છે. શીખ ધર્મમાં, કોઈ પણ જીવિત વ્યક્તિને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સિવાય ગુરુ માની શકાય નહીં, તેથી આવા દાવાથી શીખોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે.
આ કિસ્સામાં, ૨૩ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ અમૃતસરમાં નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરતી વખતે, અરજદારે કહ્યું હતું કે વિશ્ર્વમાં એક જ ધર્મ છે, જે સનાતન છે, બાકીના બધા સંપ્રદાયો છે. આવી સ્થિતિમાં અરજદારની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ મામલો નથી. અરર્જીક્તાએ કહ્યું કે તેમની પાસે શ્રી ગુરુ નાનક દેવની આત્મા છે અને તેઓ તેમના અવતાર છે. પંજાબ સરકારે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. વીડિયોમાં, અરજદાર પોતાને શીખોના ૧૨મા ગુરુ તરીકે જાહેર કરી રહ્યો છે, જે કલમ ૨૯૫ એ હેઠળ નોંધનીય ગુનો છે.
તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે ધર્મનું અપમાન કરવું એ જઘન્ય અપરાધ છે, પછી તે કોઈ પણ ધર્મનો હોય. અપમાનની સમાજ પર ખરાબ અસર પડે છે. અરજદારે અપમાન કર્યું છે કે નહીં તેની તપાસ હજુ ચાલી રહી છે, આવી સ્થિતિમાં અરજદાર સામેની એફઆઈઆર રદ કરી શકાય નહીં. હાઈકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટે નક્કી કરવાનું છે કે અરજદાર વિરુદ્ધ અપમાન અથવા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કેસ કરવામાં આવે છે કે નહીં. આવી સ્થિતિમાં હાઈકોર્ટ અત્યારે આ મામલે હસ્તક્ષેપ કરવા માંગતી નથી.