ધાનપુર તાલુકામાં ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

ધાનપુર,ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના વર્ષ-2023-24 ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તા.12 જુન 2023 ના રોજ રાજ્ય કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી અધિકારી/પદાધિકારી અને ગામના મહાનુભાવો, વાલીઓ, જખઈ સભ્યો દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 માં બાળકોને કુમકુમ તિલક કરીને પુસ્તકો આપીને આંગણવાડીમાં 55, બાલવાટિકામાં 671 અને ધોરણ 1 માં 382 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. ધાનપુર તાલુકાના બી.આર.સી.કો ઓર્ડીનેટર કુંદનસિંહ ઠાકોર અને ડાયટ દાહોદના લેકચરર્ અને ધાનપુર તાલુકાના લાયઝન આર.કે.પટેલ દ્વારા પણ વિવિધ શાળાઓમાં જઈને બાળકોને આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1ના બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.