ધનેશ્વર ગામની વિજય ઇન્દ્રજગત વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ – ગોધરા દ્વારા વિનામૂલ્યે ચોપડાઓનું વિતરણ

ઘોઘંબા તાલુકામાં આવેલી વિજય ઇન્દ્રજગત વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સભ્યો હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે તથા જીવનની કારકિર્દી ઘડવા માટે શિક્ષણની મહત્વની બાબતો સમજાવી હતી. ભારતીય સંસ્કૃતિ અને જીવનમાં વિદ્યાર્થી ઘડતરને અનેક બાબતોની વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.