દિલ્હી હાઈકોર્ટે સીબીઆઇને નોટિસ પાઠવીને સમન્સ પાઠવ્યું, કેજરીવાલે ધરપકડને પડકારી હતી

દિલ્હી હાઈકોર્ટે જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સીબીઆઈને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો છે. હવે આ મામલામાં આગામી સુનાવણી ૧૭ જુલાઈએ થશે. તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઈ દ્વારા ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે ૬ મહિના પહેલા સમન્સ જારી કરવામાં આવ્યું હતું અને ૨૩ જૂને તેની ધરપકડ કરવામાં આવી હતી, જેની કોઈ જરૂર નહોતી. તેમણે કહ્યું કે કેજરીવાલ આતંકવાદી નથી કે દેશ છોડીને ભાગી જવાનું જોખમ નથી. કેજરીવાલ પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં હતા.

આ સિવાય સીએમ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે ૨૦૨૨માં નોંધાયેલા કેસની ૨૦૨૪માં પૂછપરછ કરવામાં આવી હતી. વાસ્તવમાં સીએમ કેજરીવાલે સીબીઆઈ દ્વારા કરાયેલી ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે સીબીઆઈના રિમાન્ડને પણ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. હવે આ મામલામાં દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને ૭ દિવસમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. જે બાદ કેજરીવાલે બે દિવસમાં સીબીઆઇના જવાબ પર પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. આ પછી હાઈકોર્ટ ૧૭ જુલાઈએ સુનાવણી કરશે.

હાઈકોર્ટે કહ્યું કે કેજરીવાલના વકીલો બે દિવસમાં જવાબ દાખલ કરી શકે છે, જો કોઈ હોય તો. અદાલતે દલીલો સાંભળવા માટે ૧૭ જુલાઈના રોજ કેસની સૂચિબદ્ધ કરી છે. ધરપકડ ઉપરાંત, આપના રાષ્ટ્રીય સંયોજકે ૨૬ જૂન અને ૨૯ જૂનના સબઓડનેટ કોર્ટના આદેશને પણ પડકાર્યો છે, જેના હેઠળ તેમને અનુક્રમે ત્રણ દિવસની સીબીઆઇ કસ્ટડી અને ૧૨ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. કેજરીવાલની સીબીઆઈ દ્વારા તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેઓ ઈડી દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા.