ડાયરામાં દેવી દેવતાઓનું અપમાન,માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ!

અમદાવાદ, રાજ્યમાં હજુ એક વિવાદ થાળે પડ્યો, તા બીજો વિવાદ ઉભો થયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતના જાણીતા લોક કલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતા અશોક વાઘેલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન  ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ આપવામાં આવી છે.

આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેમના મોબાઈલમાં ફેસબુક પર અપના અડ્ડા નામના ગ્રુપમાં (નરેશ પ્રજાપતિ નામના ઓફિશિયલ પેજ પર) રિલ્સ જોતાં તેમાં લોકકલાકાર માયાભાઈ આહીર દ્વારા હિન્દુ ધર્મના દેવોના દેવ ભગવાન શિવ સહિત માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય આ તમામ દેવોનું હળહળતું અપમાન જોવા મળ્યું હતું.

ભગવાન શિવ વિશે તુકારા અને અપમાનજનક ભભૂતીઓ અને મારો રોયો એવા શબ્દોનો ઉપયોગ કરી જાહેરમાં જોક્સ સંભળાવતા અને સાથે માયાભાઈ આહીરના બાજુમાં જ સ્ટેજ ઉપર બેઠેલ ગાયક કલાકાર કિર્તિદાન  ગઢવી પોતે પણ જાહેરમાં ખડખડાટ હસી રહ્યા છે અને માયાભાઈ આહીર દ્વારા જાહેર સ્ટેજ ઉપર ભગવાન શિવનું હળહળતું અપમાન કરાતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.અશોક વાઘેલાએ બંને કલાકારો સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાની કલમો હેઠળનો ગુનો દાખલ કરી ફરીયાદ કરવા અરજી કરી છે.