
ઇન્દોર,
મધ્યપ્રદેશ ના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ? મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે તેઓ અત્યારે જે શહેરમાં છે તે પોતાનામાં જ અદ્ભુત છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે, ૧૦ જાન્યુઆરીએ તેનું સમાપન કરશે. રાષ્ટ્રપતિ સમાપન સત્રમાં NRIનું સન્માન પણ કરશે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ૧૦ જાન્યુઆરી સુધી ચાલશે. ૭૦ દેશમાંથી આશરે ૩૫૦૦ જેટલા સભ્યો પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી માટે મધ્યપ્રદેશ આવ્યા છે. ગયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી, સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી, ઓસ્ટ્રેલિયાના સંસદ સભ્ય જેનેતા મસ્કરેન્હાસ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતા.. પીએમ મોદીએ કહ્યું કે લગભગ ૪ વર્ષ બાદ ફરીવાર પ્રવાસી ભારતીય સંમેલન તેના મૂળ સ્વરૂપમાં યોજાઈ રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દુનિયાના વિવિધ દેશોમાં લોકો જોવા મળે છે ત્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના દેખાય છે. જ્યારે વિશ્ર્વના વિવિધ દેશોમાં ભારતની શાંતિ અને તેની લોકશાહીની ચર્ચા થાય છે. તો તેનાથી દેશનું ગૌરવ વધે છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે. તે અસાધારણ છે. જ્યારે ભારત કોવિડ મહામારીની વચ્ચે વેક્સિન બનાવી છે અને જ્યારે ભારત કરોડો લોકોને મફતમાં રસી આપે છે. ત્યારે ભારત એક મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બને છે, ત્યારે વિશ્ર્વના લોકોમાં ઉત્સુક્તા વધે છે કે ભારત આ કેવી રીતે કરી રહ્યું છે. સ્પેસ ટેક્નોલોજીમાં ભારત રેકોર્ડ બનાવી રહ્યું છે.
આ પહેલા શહેરના દેવી અહલ્યાબાઈ હોલકર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા અને અન્ય દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.વડાપ્રધાને રવિવારે ટ્વીટ કરી હતી. આવતીકાલે, ૯મી જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે વાઇબ્રન્ટ શહેર ઇન્દોર છું . ભારતીય ડાયસ્પોરા સાથેના અમારા જોડાણને વધુ ગાઢ બનાવવાની આ એક શ્રેષ્ઠ તક છે, જેણે વૈશ્ર્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે કોન્ફરન્સની થીમ છે પ્રવાસી ભારતીય: અમૃત કાલમાં ભારતની પ્રગતિમાં વિશ્ર્વસનીય ભાગીદાર.
પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ચાર વર્ષના અંતરાલ પછી પ્રથમ વખત ભૌતિક રીતે યોજાઈ રહ્યું છે અને તેમાં ભાગ લેવા માટે લગભગ ૭૦ દેશોમાંથી ૩,૫૦૦ થી વધુ ભારતીય ડાયસ્પોરાએ નોંધણી કરાવી છે. અગાઉ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ૨૦૨૧ કોવિડ-૧૯ના કારણે વૈશ્ર્વિક રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
ઈન્દોરમાં આયોજિત ૧૭મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે અહીં હાજર દરેક NRIએ પોતપોતાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. મને આનંદ છે કે મધ્યપ્રદેશમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને ‘ભારતના હૃદય’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યપ્રદેશમાં મા નર્મદાનું પાણી, અહીંના જંગલો, આદિવાસી પરંપરા અને અહીંની આધ્યાત્મિકતા તમારી યાત્રાને અવિસ્મરણીય બનાવી દેશે. હું તમામ ભારતીય વિદેશીઓને ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કહું છું. ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તમારી ભૂમિકા વિવિધ છે. તમે મેક ઇન ઇન્ડિયા, યોગ, હેન્ડીક્રાટ ઇન્ડસ્ટ્રી તેમજ ભારતીય મિલેટ્સના બ્રાન્ડ એમ્બેસેડર છો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટ્વીટ કરીને લખ્યું- ૯ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય સંમેલન નિમિત્તે વાયબ્રન્ટ સિટી ઈન્દોરમાં છે. આપણા વિદેશી ભારતીયો સાથે જોડાણ ગાઢ બનાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. તેણે વૈશ્ર્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે.