દંતેવાડા-બીજાપુર બોર્ડર પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં ૯ માઓવાદી ઠાર

છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એક્ધાઉન્ટર ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જવાનોએ નવ નક્સલીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી માઓવાદીઓના મૃતદેહોની સાથે જ મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ર્ચિમ બસ્તર ડિવિઝનમાં માઓવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, પોલીસની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન પર નીકળી હતી.૩ સપ્ટેમ્બરે સવારે સર્ચ દરમિયાન સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબારમાં નવ માઓવાદીઓ માર્યા ગયા હતા. હાલમાં ગોળીબાર અવાર-નવાર ચાલુ છે અને સૈનિકોએ મોરચો પકડી રાખ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જંગલ વિસ્તારમાં નક્સલવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ દંતેવાડા અને બીજાપુર જિલ્લા પોલીસે અન્ય સુરક્ષા દળો સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું. એક્ધાઉન્ટર હજુ ચાલુ છે. મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ થયા છે, જેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ પહેલા ૨૯ ઓગસ્ટના રોજ નારાયણપુર-કાંકેર બોર્ડર પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સુરક્ષા દળોએ ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા. ઓગસ્ટની શરૂઆતમાં પણ દંતેવાડા પોલીસને મોટી સફળતા મળી હતી. એક્ધાઉન્ટરમાં એક હાર્ડકોર નક્સલી માર્યો ગયો. આ ઉપરાંત હથિયારો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. આ માટે સૈનિકો વરસાદની મોસમમાં ફૂલેલી ઈન્દ્રાવતી નદીને પાર કરીને નક્સલવાદીઓના ઠેકાણા સુધી પહોંચ્યા હતા.