દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો : બાળકીની હત્યા આચાર્ય જ કરી

રિપોર્ટમાં શ્વાસ રૂંધાવી દેવાથી મોતને

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામેથી પ્રાથમીક શાળામાંથી ધોરણ ૦૧માં અભ્યાસ કરતી ૦૬ વર્ષિય માસુમ બાળાના મૃતદેહ મળી આવેલ મૃતદેહ પ્રકરણમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યાં હતો ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કરતાં પોલીસ તપાસમાં આરોપી હત્યારો શાળાનો આચાર્ય ખુદ નીકળતાં જિલ્લા ભરમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં આચાર્ય સામે લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા તે પ્રયાસમાં આચાર્ય નિષ્ફળ જતાં બાળકીનું મોં દબાવી માસુમને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.

હત્યા કરનાર આચાર્ય

દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચાવી મુકનાર ઘટના દાહોદના સીંગવડ મુકામે સામે આવી છે જેમાં ત્રણ દિવસ પહેલા સીંગવડના પીપળીયા ગામે આવેલ પ્રાથમીક શાળામાંથી ધોરણ ૦૧માં અભ્યાસ કરી માસુમ ૦૬ વર્ષિય બાળકીનો મૃતદેહ પ્રાથમીક શાળામાંથી સાંજના ૦૬ વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો જેમાં દાહોદ એલસીબી પોલીસ સહિતની ટીમે જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી તે ઉપરાંત ડોગ સ્કોવર્ડ ઝીણવટ પુર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની ફોર વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી. આં અંગેની જાણ પોલીસને તથાં પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પુછપરછ કરતાં પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે, બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવેલ હતો પરંતુ ત્યારબાદ ગાડીમાંથી ઉતરી કંઈબાજુ ગયેલ તેની પોતાને ખબર નથી અને હું મારી રોજીંદી કામગીરીમાં લાગી ગયેલ અને શાળઆમાં છુટ્યાં બાદ મારા ઘરે જતો રહેલ તેમ આચાર્ય ગોવિંદે ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. જે વાત પોલીસને ગળે ન ઉતરતાં જેથી પોલીસે તેના મોબાઈલ ફોનનું ટેકનીકલ એનાલીસીસી કરતાં જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડેલ ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજીંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગલે તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઉંડાણપુરવ્ક અને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં આચાર્ય પોલીસની પુછપરછમાં ભાંગી પડ્યો હતો અને તેણે કબુલ્યુ હતું કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપગલા કરતાં બાળકી બુમાબુમ કરવા લાગેલ જેથી બાળકીનું મોઢુ દબાવી દેતા બાળકી બેભાન થઈ ગયેલ જેને પોતાની ગાડીની પાછળની સીટમાં મુકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મુકી રાખી હતી અને શાળા છુટ્યાં બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીને શાળાના ઓરડા અને કંમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મુકી આવ્યો હતો અને તેની સ્કુલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મુકી દીધેલ હતો.

આમ, બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં અસફળ થયેલ આચાર્ય ગોવિંદ નટે માસુમ ૦૬ વર્ષિય બાળકીનું મોઢુ દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં ગ્રામજનો તેમજ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલાની કહીકત સામે આવતાં મૃતક બાળકીના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.

બે દિવસ પહેલા શાળામાંથી મળ્યો હતો મૃતદેહ 

સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આ બાળકી બે દિવસ પહેલા શાળાએથી ઘરે પરત ન ફરતા બાળકીના માતાપિતાએ તપાસ શરૂ કરી હતી અને શાળાએ પહોંચ્યા હતા. જો કે શાળાને તાળું મારી દેવામાં આવ્યું હોવાથી  પરિવારજનોએ દિવાલ કૂદીને અંદર જઈને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી આ 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. 

શું હતી પુરી વિગત… : સીંગવડના તોયની ગામેની પ્રાથમીક શાળામાંથી મળેલ બાળકીના મૃતદેહનો પીએમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવી દેવાથી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં જિલ્લાભરમાં ખળભળાટ.

શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત

બાળકીનો મૃતદેહ મળ્યાંની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. પ્રાથમિક રિપોર્ટમાં બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી. 

આચાર્યએ કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો 

તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે પોલીસ સમક્ષ બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી છે. હવસખોર આચાર્ય બાળકીને કારમાં લઇ ગયો હતો અને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે બાળકીએ બુમાબુમ કરી મુકતા આચાર્યએ ગળું દબાવીને કારમાં જ બાળકીની હત્યા કરી નાખી હતી.

Don`t copy text!