દાહોદ તાલુકાના વણભોરી ગામે આવેલ તળાવમાં એક 17 વર્ષિય યુવક અકસ્માતે પડી જતાં યુવકનું મોત નીપજ્યું

ગત તા.10મી સપ્ટેમ્બરના રોજ દાહોદના વણભોરી ગામે મહુડા ફળિયામાં રહેતાં 17 વર્ષિય સુનીલભાઈ લીમજીભાઈ ભાભોર ગામમાં આવેલ તળાવ તરફ ગયાં હતા, જ્યાં તળાવમાં અકસ્માતે સુનીલભાઈ પડી જતાં તળાવના ઉંડા પાણીમાં ડુબી જવાને કારણે સુનીલભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની પરિવારજનોને કરવામાં આવતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક સુનીલભાઈના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

આ સંબંધે સુનીલભાઈ લીમડીભાઈ ભાભોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.