
દાહોદ,
પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત આજ રોજ દાહોદ તાલુકાના ચોસાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અઘ્યક્ષ સ્થાને જન આરોગ્ય સમિતિની મીટીંગ યોજાઈ હતી.
તેમજ ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 16 ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર જીલ્લા સભ્ય, તાલુકા સભ્ય, તાલુકા હેલ્થ ઓફિસર, સરપંચ તેમજ તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ટીબીના કુલ 16 દર્દીઓને દત્તક લઈ તેમને ન્યુટ્રીશન કીટનું વિતરણ કર્યુ હતું.
આમ, પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદ રૂપ થાય.