
દાહોદ,
પ્રધાનમંત્રીના ટીબી મુકત ભારત 2025 અભિયાન અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો શિલ્પા યાદવ અને જીલ્લા ક્ષય અધિકારી ડો આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના આગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઑફિસર ડો પ્રહલાદ બડદવાલ તથા આરોગ્ય સ્ટાફ દ્વારા નિક્ષય મિત્ર બની 30 ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તાલુકા ટીબી સુપરવાઈઝર તથા આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો. પ્રધાનમંત્રીના ટીબી મુકત ભારત 2025 અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદ રૂપ થાય.