દાહોદ તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન શિબિરનુ આયોજન, આગામી તા. 31 મે સુધીમાં અરજી કરવાની રહેશે

દાહોદ, દાહોદ જીલ્લાના અનુસુચિત જનજાતિના 15 થી 35 વર્ષના યુવક યુવતિઓને વ્યક્તિત્વ વિકાસ અને નેતૃત્વ ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, પંચાયતી માળખાનો ખ્યાલ તેમજ યુવક યુવતિઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા માટે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન મળી રહે તે હેતુથી તાલુકા કક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન શિબિરનુ આયોજન દાહોદ જીલ્લાના તમામ તાલુકાઓમા યોજાનાર હોઇ આ શિબિરમા ભાગ લેવા માંગતા યુવક-યુવતિઓએ પોતાની અરજી જીલ્લ રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સરવે ભવન પ્રથમ માળ, જીલ્લા સેવા સદન દાહોદ ખાતે તા.31/05/2023 સુધિમા કચેરી સમય દરમ્યાન પહોંચાડવાની રહેશે તેમ જીલ્લા યુવા વિકાસ અધિકારી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.