દાહોદના ઈનામી બોરડી ગામે અગમ્ય કારણોસર ત્રણ પશુના મોત થતાં જાણવાજોગ અરજી નોંધાઈ

દાહોદ,દાહોદ તાલુકાના ઈનામી બોરડી ગામે ગતરોજ સવારે એક ખેતરમાં પાણી પીવા ગયેલ બે ભેંસ અને એક પાડો મળીને કુલ ત્રણ મુંગા પશુઓ ખેતર માંથી મરણ ગયેલ હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ઈનામી બોરડી ગામના ઈન્દીરા આવાસ ફળિયામાં રહેતા 21 વર્ષીય વીરલભાઈ વસનાભાઈ ભુરીયાની બે ભેંસો તથા એક પાડો મળી રૂપિયા 56,000/-ની કિંમતના ત્રણ મુંગા ઢોર ગઈકાલે સવારે સાડા નવ વાગ્યાના સુમારે ખેતર બાજુ પાણી પીવા ગયા હતા. જે મુંગા ઢોર કોઈક કારણથી મોતને ભેટ્યા હતા. આ સંબંધે બોરડી ઈનામી ગામના ઈન્દીરા આવસ ફળિયામાં રહેતા વીરલભાઈ વસનાભાઈ ભુરીયાએ કતવારા પોલીસ સ્ટેશને લેખીત જાણ કરતા પોલીસે આ મામલે જાણવાજોગ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.