
દાહોદ,
દાહોદ શહેરના તંદન નજીક આવેલા ગાલાલિયાવાડ વિસ્તારમાં સાંઈ દર્શન સોસાયટીમાં રેલ્વેના નિવૃત અધિકારી દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ કટી બાંધકામ કરતા સોસાયટીના રહીશો દ્વારા તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત અને લેન્ડ ગ્રેબીટ અંતર્ગત ગુનો દાખલ સફદિફક્ષશ સામુહિક રીતે લેખિત રજૂઆતો બાદ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સુનાવણી દરમિયાન સોસાયટીની માપણી. માતરની રજુતો થતા કલેક્ટરના નિર્દેસો અનુસાર સીટી સર્વે સુપ્રીત્રન્ડેટના અધિકારી તેમજ તાલુકા પંચાયતના અધિકારી અને સોસાયટીના રહીશોને સાથે રાખી સોસાયટીના તમામ પ્લોટોની DGPS મશીન દ્વારા માપણી કરવામાં આવી હયી.
દાહોદ શહેરથી તંદન નજીક આવેલી સાંઈ દર્શન સોસાયટીમાં 26 જેટલાં પ્લોટો આવેલા છે. જે પૈકી 25 નંબર પ્લોટ કોમન પ્લોટ અનર 26 નંબર નો પ્લોટ રસ્તા માટે ફાળવી દેવામાં આવ્યો છે. ત્યારે આ સોસાયટીના રહેવાસી રહીશ રેલ્વેના નિવૃત અધિકારી આઈ.ડી.મિશ્રા દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં 22.18 ચોરસ મીટર જેટલું દબાણ કરી બાંધકામ કરી દેતા આ ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણ મુદ્દે સોસાયટીના રહીશો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગત તેમજ તાલુકા વિભાગોમા લેખિતમાં અરજીઓ કરવામાં આવી હતી. જે અંગે સ્વાગત કાર્યકરમાં માં સુનાવણી બાદ તાંતીખ 28-7-2022 ના રોજ કલેકટર એ સામે વાળા રેલ્વેન આના નિવૃત અધિકારી દ્વારા 22.18 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું સુનાવણીના અંતે ફલિત થાય છે. તેવું દર્શાવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ ગેરકાયદેસર દબાણ સત્વરે દૂર કરવા લેખિતમાં હુકમ કર્યો હતો. જે અંગે રેલ્વેના અધિકારી દ્વારા સોસાયટીના તમામ પ્લોટોની નવેસરથી માપણીની માંગણી કરતા સીટી સર્વે સુપ્રીટેન્ડેટ દ્વારા તારીખ 23-01-2023 ના રોજ પંચાયતના ખર્ચે પુન: માપણી કરવાનો હુકમ કર્યો હતો. જે અંતર્ગત આજરોજ સીટી સર્વે કચેરીના અધિકારી કર્મચારીઓ તરમાંજ તાલુકા પંચાતના અધિકારીઓએ સોસાયટીના રહેવાસીઓને સાથે રાખી DGPS મશીન દ્વારા સોસાયટીના તમામ પ્લોટોની નવેસરથી માપણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલમાં સોસાયટીના રહીશ બિન્દુબેન અરવિંદભાઈ છત્રીય દ્વારા સામે વાળા આઇ.ડી. મિશ્રા તેમજ તેમની પત્ની વિભાબેન વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિન્ડ અંતર્ગત ફરિયાદ નોંધવા માટે લેખિતમાં ફરિયાદ કરી છે. તે હાલ પેન્ડિંગ છે. જોકે, હાલ આ સમગ્ર પ્રકરણમાં સીટી સર્વે સર્વે કચેરી દ્વારા તમામ પ્લોટોની નવેસરથી માપણી કરવામાં આવી છે અને આ માપણી બાદ સીટી સર્વેના કર્મચારીઓ માપણીનો રિપોર્ટ જાહેર કરશે કે સામેવાળા આઇ.ડી. મિશ્રા દ્વારા સોસાયટીના રહીશોના આક્ષેપો અનુસાર દબાણ કર્યું છે કે કેમ જો આ રિપોર્ટના અંતે સામેવાળા દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ કર્યું હોવાનું સામે આવશે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ ગેરકાયદેસર દબાણ સત્વરે તોડી પડાશે જેમાં કોઈ બે મત નથી.