દાહોદ, દાહોદ તાલુકાના ગલાલીયાવાડ વિસ્તારમાં એક 27 વર્ષિય પરણિતાએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે રહેતાં 27 વર્ષિય પરણિતા દિમીશાબેન ભાભોરે ગતરોજ પોતાના ઘરમાં અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી કરતાં ઘટનાની જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. પરણિતા દિમીશાબેને ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી, પરંતુ આ મામલે સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક પરણિતા દિમીશાબેનના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.
આ સંબંધે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.