દાહોદના છાપરી ગામે 21 વર્ષિય યુવાને ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

દાહોદ, દાહોદ નજીક છાપરીમાં 21 વર્ષિય યુવકે અગમ્ય કારણોસર ધરના પંખામાં ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હતો.

છાપરી ગામે નિશાળ ફળિયામાં પવનભાઈ મહેશભાઈ મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનની રૂમની સિલીંગમાં પંખાના હુકમા ઓઢણી બાંધી ગળેેફાંસો ખાઈ આપધાત કરી લેતા મોતની જાણ થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવકના આ અવિચારી પગલાથી પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. ધટનાની જાણ થતાં દાહોદ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતક પવનનો મૃતદેહ નીચે ઉતારી લાશનો કબ્જો મેળવી પી.એમ અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી દાહોદ બી-ડીવીઝન પોલીસે 174 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.