દાહોદના બોરડી સરકારી ગામે તળાવમાં ડુબેલ આધેડનો મૃતદેહ મળ્યો

દાહોદ, દાહોદ તાલુકાના બોરડી સરકારી ગામે બનેલ બનાવમાં સરકારી ગામે માળ ફળિયામાં રહેતા 50 વર્ષિય રમેશભાઈ માનસિંગભાઈ ભુરીયા ગામના સરકારી તળાવે ન્હાવા ગયા હતા. જયાં ન્હાવા દરમિયાન તળાવમાં ઉંડા પાણીમાં ગરબાવ થતાં તેમનુ મોત નીપજયું હતુ. જેથી રમેશભાઈ માનસિંગભાઈ ભુરીયાની લાશ મળી આવતા કતવારા પોલીસે ગ્રામજનોની મદદથી પાણીમાંથથી બહાર કાઢી પંચો રૂબરૂ લાશનુ પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે લાશને કતવારા સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંદર્ભે સી.આર.પી.સી.174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.