દાહોદમાં શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાશે

ગુજરાત સરકાર દ્વારા 5 મી સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધકૃષ્ણનના જન્મદિવસ નિમિતે દર વર્ષે શિક્ષકદિન ઉજવવામાં આવે છે, એ સાથે ગુજરાત સરકાર દ્વારા શિક્ષક દિનના રોજ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરીને પારિતોષિક આપવામાં આવે છે.

દાહોદ જીલ્લામાં પણ સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, ગોવિંદનગર, દાહોદ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને શિક્ષક દિન નિમિતે પારિતોષિક આપવામાં આવશે. આ કાર્યક્રમ નિમિતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર, સર્વે ધારાસભ્યઓ, કલેકટર યોગેશ નિરગુડે, જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Don`t copy text!