દાહોદ,
દાહોદમાં સાયબલ સેલ દ્વારા સાયબર જાગૃતિ દિવસ અનુસંધાને સાયબર સિક્યુરીટી વિષય ઉપર દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોની શાળાઓમાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સાયબર જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
દેશભરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધતાં પોલીસ તંત્ર સહિત સરકાર ચિંતામાં મુકાઈ છે ત્યારે આવા સાયબર ક્રાઈના ગુન્હાઓને અટકાવવા માટે પોલીસ તંત્ર તેમજ સરકાર દ્વારા લોકોને જાગૃત રહેવા અવાર નવાર અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સાયબર જાગૃતિ દિવસ અનુસંધાને દાહોદ જિલ્લામાં સાયબર સેલ, દાહોદ દ્વારા સાયબર સિક્યુરીટી વિષય ઉપર દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જેવા કે, દાહોદ, દેવગઢ બારીઆ, ધાનપુર, કતવારા, દાહોદ તાલુકા વિગેરે જેવા ગામોમાં સાયબર સેલ, દાહોદ દ્વારા સેમીનારનું શાળાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોને સાયબર સિક્યુરીટી વિષય ઉપર વિદ્યાર્થીઓને ક્રાઈમ શું છે ? ક્યાં ક્યાં પ્રકારના સાયબર ક્રાઈમ કરવામાં આવે છે ? સાયબર બુલીંગ અને સાયબર ગ્રુમીંગ શું છે ? સોશ્યિલ મીડીયા એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે શું સાવધાની રાખવી ? સાયબર સિક્યુરીટી અને સાયબર સેફ્ટી શું છે ? સાયબર ક્રાઈમથી બચવા માટે શું સાવધાની રાખવી ? સાયબર ક્રાઈમનો બનાવ બને તો ઓફલાઈન તેમજ ઓનલાઈન કેવી રીતે ફરિયાદ લખાવવી, ફરિયાદ લખાવતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે રાખવા આ તમામ મુદ્દાઓની વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી.