
દાહોદ જિલ્લા અનુસુચિત જાતિ કેળવણી મંડળ દ્વારા આજરોજ રેડકોર્સ ભવન દાહોદ ખાતે જીલ્લાક્ષય રોગ અધિકારી ડો. રમેશભાઈ પહાડિયાના અધ્યક્ષ સ્થાને તેમજ દાહોદના મામલતદાર મનોજભાઈ મિશ્રાના મુખ્ય મહેમાન પદે રેડક્રોસ ભવન દાહોદ ખાતે અનુસૂચિત જાતિ સમાજના ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 105 જેટલા વિદ્યાર્થીઓનું શીલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડો. મધુકર વાઘે ધોરણ 10,12 અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીને 500 રૂપિયા લેખે રૂા.2,000 જેટલું ઇનામ આપ્યું હતું. સ્વાગત પ્રવચન અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાએ કર્યું હતું. તેમણે સંસ્થાની પ્રવૃત્તિઓની સમજ આપી હતી અને બાબાસાહેબ આંબેડકરના આદર્શો જીવનમાં ઉતારવા માટે અપીલ કરી હતી.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 9 વિદ્યાર્થીઓ જેમાં પ્રથમ ચાવડા આયુષી દિનેશભાઈ જેના 83.53% તેમજ સામાન્ય પ્રવાહમાં 38 વિદ્યાર્થીઓ જેમાં સોલંકી વિધિબેન જગદીશભાઈ ના 88.71% તથા ધોરણ 10 માં 53 વિદ્યાર્થીઓ જેમાં ચાવડા પિન્કીબેન દિનેશચંદ્ર 94.66 ટકા સાથે જિલ્લામાં પ્રથમ રહ્યા હતા.
ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને કાર્યક્રમના અધ્યક્ષ ડો. પહાડિયા અભિનંદન આપ્યા હતા. જણાવ્યું આપ ખૂબ મહેનત કરી ભણી ગણી ઉચ્ચ અધિકારી બનો સમાજ નું નામ રોશન કરો એવી આશા વ્યક્ત કરી હતી.
જ્યારે મામલતદાર એ બાળકોને શીખ આપતા જણાવ્યું હતું કે, યોગ્ય માર્ગદર્શન, સમાજનો સહકાર અને કેળવણી મંડળના સહયોગથી આપ પોતાનો ઘરનો અને સમાજનો તેમ જ દેશનો વિકાસ કરો તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે મંડળના કારોબારી સભ્ય ભરતભાઈ શ્રીમાળી, સીગવડ તાલુકા પંચાયતના સભ્ય સુરેશભાઈ ચૌહાણએ પોતાનો વક્તવ્ય આપ્યું હતું .મંડળના મંત્રી કિરણસિંહ ચાવડાએ આ અદ્દભુત અને પ્રથમ તેજસ્વી તારલાના સન્માનના કાર્યક્રમની સફળતાનો યશ ઉપસ્થિત તમામ અનુસૂચિત જાતિ સમાજના કર્મશીલો, મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો, તાલુકાના પ્રમુખ, મંત્રી તેમજ સામાજિક આગેવાનોને ફાળે જાય છે, તેવી વાત કરી હતી. તેમણે બાળકોને સૂર્ય જેવા તેજ અને બાબાસાહેબ આંબેડકર જેવી તીવ્ર બુદ્ધિ રાખી જીવનમાં ખૂબ આગળ વધવા માટે અપીલ કરી હતી. તેમણે સૌના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સંસ્થાને મજબૂત બનાવવા માટે સૌને બે હાથ જોડી વિનંતી કરી હતી.
આ કાર્યક્રમનું સંચાલન આમલી માધ્યમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર એ કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય રાધા બેન બારીયા, સુરેશભાઈ ચૌહાણ, રજનીકાંતભાઈ પરમાર તથા કાઉન્સિલર ચંદ્રકાંતાબેન ધાનકા તેમજ પૂર્વક કાઉન્સિલર દેવગઢ બારીયાના કનુભાઈ મકવાણા દાહોદ જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દેવચંદભાઈ પરમાર રોહિત સમાજ સંતરામપુરના મંત્રી ગણેશભાઈ બામણીયા દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના હોદ્દેદારો, જીલ્લા કારોબારી સભ્યો, તાલુકાના પ્રમુખો ,મંત્રીઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતા પિતાઓ વગેરે મહાનુભવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પ્રથમ હતો પણ અદભુત હતો. ગગનચુંબી સફળતા માટે સૌનો સંસ્થાના મંત્રી કિરણસિંહ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો.