દાહોદ કસ્બા સહિતના 178 સર્વે નંબર ઉપર પ્રતિબંધો લાગ્યા બાદ સામાન્ય પ્રજાજનો માટે મિલ્કતોની ખરાઈ માટે સ્પેશિયલ સેલની રચના

દાહોદ કસ્બા સહિત આજુબાજુના વિસ્તારના 178 જેટલા સર્વે નંબરો પર તંત્ર દ્વારા વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગતા હુકમો જાહેર થયા પછી શહેર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તો આજે જિલ્લા કલેક્ટરએ જિલ્લામાં નોંધાયેલા આવા સંદિગ્ધ નંબરો સહિત અન્ય સામાન્ય પ્રજાજનો પણ પોતાની જમીનો અથવા પોતાની મિલકતો અંગે ખરાઈ કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર ખાતે સ્પેશિયલ સેલ ની રચના કરી છે.

જિલ્લા વિકાસ અધિકારી હસ્તકના એક અધિકારી તાલુકા પંચાયત હસ્તકના એક અધિકારી તથા કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટર કક્ષાના એક અધિકારી સહિત જે જે કચેરીઓના જે તે હુકમો અને જે તે સત્તા પ્રકારને વેરિફિકેશન કરી શકે તેવા તમામ કચેરીના અધિકારીઓનું એક સ્પેશિયલ સેલ રચી અને જાહેર કર્યા હતા. હવે સામાન્ય પ્રજાજન પણ પોતે પોતાની મિલકત અંગે ખરાઈ કરી શકશે તો બીજી બાજુ શંકાસ્પદ નંબરો પૈકી હજુ કેટલાક સર્વે નંબરોમાં પણ વધુ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી જે તે કક્ષાએ તેના વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

જેથી કરીને અન્ય કોઈ ગેરરીતીથી અથવા અન્ય કોઈ લાભ કોઈ ત્રાહિત ન લઈ જાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સમગ્ર નકલી હુકમો અને નકલી નોંધો જે જે નંબરોમાં માલુમ પડ્યા છે. તે નંબરોના બોનોફાઇડ પરચેઝરો મિલકત ધારકો અને સામાન્ય નાગરિકો કે જેવો આ બાબતથી સંપૂર્ણ અજાણ છે. અને નિર્દોષ છે તેઓ માટે રાજ્ય સરકાર પણ ગંભીર છે અને તેઓને નુકસાન ન થાય તેવી કોઈ પોલીસી ઘડવા માટે તત્પર હોવાનું અને આગામી દિવસોમાં આવી મિલકત ધારકોને રેગ્યુલાઇઝ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. તેવા સંકેતો પણ સાંભળી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે દાહોદ કસ્બા વિસ્તારમાં શંકાસ્પદ જાહેર કરાયેલા સર્વે નંબરોમાં ચાર હજાર કરતાં પણ વધુ મિલકતો અને 10,000 જેટલાં વ્યક્તિઓ આ સંદિગ્ધ નંબરોમાં અસર પામે તેવા હોય કોઈ ખાસ નીતિ પણ ઘડાનારના હોવાનું જાણવા મળેલ છે. ત્યારે વહીવટી તંત્ર અને સરકાર પણ નિર્દોષ પ્રોપર્ટી ધારકને રાહત મળે તે માટે કટિબદ્ધ બની છે. મળતી માહિતી પ્રમાણે દાહોદ કસ્બા વિસ્તારમાં શંકાસ્પદ જાહેર કરાયેલા સર્વે નંબરોમાં ચાર હજાર કરતાં પણ વધુ મિલકતો અને 10,000 જેટલાં વ્યક્તિઓ આ સંદિગ્ધ નંબરોમાં અસર પામે તેવા હોય કોઈ ખાસ નીતિ પણ ઘડાનારના હોવાનું જાણવા મળેલ છે. ત્યારે વહીવટી તંત્ર અને સરકાર પણ નિર્દોષ પ્રોપર્ટી ધારકને રાહત મળે તે માટે કટિબદ્ધ બની છે.