દાહોદ જિલ્લાના ગરબાડા બીઆરસી ભવન ખાતે યોગ શિક્ષણ તાલીમનું આયોજન કરાયું

દાહોદ,

જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન માર્ગદર્શિત યોગ શિક્ષણ તાલીમ શિબિર બીઆરસી ભવન ગરબાડા ખાતે યોજવામાં આવી. જેમાં કુલ 27 તાલીમાર્થી શિક્ષક ભાઈઓએ ભાગ લીધો અને આ યોગ શિક્ષણ તાલીમમાં ઇનડોર અને આઉટડોર ગેમની એક્ટિવિટી કરાવવામાં આવશે. જેમાં આ એક્ટિવિટી શીખ્યા પછી તમામ શિક્ષકો પોતાની શાળામાં જઈને બાળકોને પણ આવી જ એક્ટિવિટી કરાવશે તે હેતુથી ગરબાડા તાલુકામાં બીઆરસી ભવન ખાતે યોગ શિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.