
- જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 11 જેટલી અરજીઓ પૈકી 10 અરજીઓનું સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ લાવતા કલેકટર ડો હર્ષિત ગોસાવી.
દાહોદ, સમગ્ર રાજ્યમાં જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જીલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્ર્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્ર્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
દાહોદ જીલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. જેમાં જીલ્લાના અરજદાર દ્વારા પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા. કલેકટર દ્વારા જીલ્લા સ્વાગત અંતગર્ત જીલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકલ્યા પ્રશ્ર્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્ર્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી.
જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, મદદનીશ વન સંરક્ષક અભિષેક શામરીયા, નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ, સહિત અન્ય સબંધિત વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.