દાહોદ-ઈન્દોર હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહનની અડફેટમાં રાહદારીનું મોત

દાહોદ,દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ ઈન્દૌર હાઈવે રોડ પર એક રાહદારીને કોઈ અજાણ્યા વાહનને ચાલકે અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં રાહદારીનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

દાહોદના વરમખેડા ગામે સંગોડીયા ફળિયામાં રહેતાં દિનેશભાઈ છગનભાઈ સંગાડીયા ગત તા.21મી જુનના રોજ દાહોદ ખાતે કોઈ કામ અર્થે આવ્યાં હતા. જ્યાં તેઓ દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ ઈન્દૌર હાઈવે રોડ પરથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દિનેશભાઈને જોશભેર ટક્કર મારતાં દિનેશભાઈ જમીન પર પટકાતાં તેઓને હાથે, પગે, શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે આશાબેન દિનેશભાઈ સંગાડીયાએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.