દાહોદ-અમદાવાદ હાઈવે પર પાવાગઢ દર્શને જતા એમ.પી.ના પરિવારની કારને અકસ્માત નડતા મહિલાનુ મોત

દાહોદ, દાહોદ-અમદાવાદ હાઈવે પર પાવાગઢ દર્શને જતા મઘ્યપ્રદેશના પરિવારની કારને આડે કુતરૂ આવી જતા કાર ડિવાઈડર સાથે ભટકાતા પલ્ટી ખાઈ જતા કારમાં સવાર મહિલાનુ મોત નીપજયું હતુ.

મઘ્યપ્રદેશના રતલામ જિલ્લાના ઈશરથુની ગામના ગોપાલભાઈ કૃષ્ણદાસ વૈરાગી તેમના પિતા કૃષ્ણદાસ વૈરાગી, માતા શિવક્ધયાબેન તથા પુત્રી 12 વર્ષની નવ્યાબેન તેમના પાડોશીની કારમાં પાવાગઢ મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા દરમિયાન દાહોદ-અમદાવાદ હાઈવે પર સતી તોરલ હોટલ આગળ રોડ પર અચાનક કુતરૂ આવી જતા કુતરાને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ સાઈડમાં ઉતરી જઈ પલ્ટી ખાતા કારમાં સવાર તમામને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં શિવક્ધયાબેન કૃષ્ણદાસ વૈરાગી(ઉ.વ.55)નુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ સંબંધે ઈજાગ્રસ્ત ગોપાલભાઈ કૃષ્ણદાસ વૈરાગીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.