દે.બારીઆના નાથુડી ગામે બાઈક ચાલકે રાહદારીને અડફેટમાં લેતાં મોત

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાથુડી ગામે એક મોટરસાયકલના ચાલકે રસ્તે ચાલતા જતા એક 58 વર્ષીય વ્યક્તિને અડફેટમાં લેતા રાહદારીનું મોતનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.

ગત તારીખ 27 જુલાઈના રોજ દેવગઢ બારીઆના ગામે નાથુડી ગામે નિશાળ ફળિયામાં રહેતા 58 વર્ષીય મીઠાભાઈ માનાભાઈ વણકર નાથુડી ગામેથી ચાલતા પસાર થઈ દૂધ ભરીને ઘરે આવી રહ્યા હતા. તે સમયે એક મોટરસાયકલ ના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મીઠાભાઈને અડફેટમાં લેતા મીઠા ભાઈને હાથે પગે, શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવજણ ઈચ્છાઓ પહોંચી હતી. જેને પગલે તેઓને તાત્કાલિક બરોડા ખાતે ની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મીઠાભાઈનું મોત નીપજતા આ સંબંધે કલ્પેશભાઈ મીઠાભાઇ વણકરે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.