દે.બારીઆના મેન્દ્રા થી પાવાગઢ જતા રોડ ઉપર બાઈક ચાલક ઝાડ સાથે અથડાતા ધટના સ્થળે મોત

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળી ડુંગરી ગામની સીમાની નજીકમાં મેન્દ્રાપાવાગઢ તરફ જતાં હાઈવે રોડ નજીક ચાલકની ગફલતને કારણને પુરપાટ દોડી આવતી મોટર સાયકલ રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલકને ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

મધ્યપ્રદેશના ધાર જીલ્લાના બદનાવર તાલુકાના હરકાઝર ગામના 17 વર્ષીય અજય છત્રાભાઈ નડાવત (વણઝારા) પરમ દિવસ તા. 31-12-2023ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે તેના કબજાની એમ.પી.11 ઝેડ.ડી-6065 નંબરની હીરો કંપનીની એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતાં દેવગઢ બારીઆના કાળી ડુંગરી ગામે સીમજી નજીકમાં મેન્દ્રાપાવાગઢ તરફ જતા હાઈવે પર તેને મોટર સાયકલના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટર સાયકલ રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ચાલક અજય છત્રાભાઈ નડાવતને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

આ સંબંધે મધ્યપ્રદેશના હરકાઝર ગામના મરણજનાર અજય નડાવતના પિતા છત્રાભાઈ બગાજી નડાવતે નોંદાવેલ ફરિયાદને આધારે દેવગઢ બારીઆ પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.