
નવીદિલ્હી, કોગ્રેસ રેલ દુર્ઘટના પર પુછ્યા ૯ સવાલ જેવી રીતે ઓડિશા બાલાસોરમાં ભીષણ રેલ દુર્ઘટના સામે આવી છે. અને ત્રણ ટ્રેન વચ્ચે ટક્કર થઇ છે. તેમા ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે અંદાજે ૯૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના બાદ કોગ્રેસે ૯ સવાલ કર્યા છે .
કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પુછ્યુહતુકે, રેલ મંત્રીએ સિંગનલ સિસ્ટમ ફેલની ચેતવણીને નજરઅંદાજ કેમ ગણાવી એક રિપોર્ટનો હવાલો આપીને સુરજેવાલે રેલ મંત્રી અશ્ર્વીની વૈષ્ણવને તત્કાલીન સસ્પેન્ડ કરવાની માગ કરવાામાં આવી છે. સુરજેવાલાએ ટ્વીટ કરીને વાલ પુછ્યો હતો કે, આ ઘટના માટે કોણ જવાબદાર છે? શુ આપણે ઇશ્ર્વરને પ્રાથના કરી જોઇએ કે, કે ફરી સરકાર પાસે જવાબ માંગવો જોઇએ.? શુ મરનાર ફક્ત આંકડા છે. કે આ દુર્ઘટના માટે કોઇ જવાબદાર પણ છે.
કોગ્રેસ પ્રવક્તાએ પુછ્યુ કે, કેમે ટ્રેન લોલિજન અવોડેંસ સિસ્ટમ કેમ તમામ રલવે ઝોનમાં લાગુ ના કરવામાં આવી. શુ આ સાચુ છે કે, ફક્ત ૨ ટકા રેલવે નેટવર્ક જ કવચના ક્ષેત્રમાં આવે છે. રેલવેની સુરક્ષાની પુષ્ઠી કેવી રીતે કરવામાં આવશે. સુરજેવાલે પુછ્યુ હતુ કે, આખરે કેમ રેલ મંત્રાલયે કમીશન ઓફ રેલવે સેટીના ૨૨૧ ના સીએજી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ૨૦ ટકા રાષ્ટ્રીય રેલવે સુરક્ષા ફંડનો ઉપયોગ ગેર સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવે છે. શુ આ જાણી જોઇને કરવામાં આવેલ ભુલ છે. રેલ મંત્રીને કેમ બીજા અન્ય મોટા મંત્રાલયનો બોજો આપવામાં આવ્યો છે. તેમની પાસે આઇટી, ટેલીકોમ મંત્રાલય છે. શુ તેની સુરક્ષા સાથે સમજુતી થઇ શકે?