મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોઈપણ ભોગે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ નહીં

  • આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મળ્યા.

નવીદિલ્હી, આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મળ્યા હતોં. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોએ સુનીતા કેજરીવાલને કહ્યું કે દિલ્હીના ૨ કરોડ લોકો કેજરીવાલજી સાથે ઉભા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોઈપણ ભોગે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ નહીં. તેમણે જેલમાંથી જ દિલ્હીની સરકાર ચલાવવી જોઈએ. મળતી માહિતી મુજબ ગઈ કાલે પાર્ટીના ૫૫ ધારાસભ્યો સુનીતા કેજરીવાલને મળ્યા હતા. જ્યારે ૪ ધારાસભ્યો દિલ્હીની બહાર છે.

મળતી માહિતી મુજબ, સંજીવ ઝા, દિલીપ પાંડે, પ્રમિલા ટોક્સ, રાજકુમારી ધિલ્લોન, રાખી બિરલા વગેરે સહિત ૧૫ થી વધુ ધારાસભ્યો પહોંચ્યા હતાં દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેણે ઘણા મોટા દાવા કર્યા હતા.આ બેઠક દરમિયાન દિલ્હી સરકારના તમામ મંત્રીઓ પણ હાજર જોવા મળ્યા હતા. જેમાં આતિશી, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાજ કુમાર આનંદ અને કૈલાશ ગેહલોતનો સમાવેશ થાય છે. ધારાસભ્યોએ સુનીતા કેજરીવાલને કહ્યું કે દિલ્હીના ૨ કરોડ લોકો કેજરીવાલજી સાથે ઉભા છે. સીએમ અરવિંદ કેજરીવાલે કોઈપણ કિંમતે રાજીનામું આપવું જોઈએ નહીં. દિલ્હીની સરકાર જેલમાંથી જ ચલાવો.

મીટિંગ બાદ સૌરભ ભારદ્વાજે કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલ જીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી ઘણા ધારાસભ્યો સુનીતા કેજરીવાલ જીને મળવા માંગતા હતા. સંજોગો સારા ન હતા, આજે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો સુનીતા કેજરીવાલને મળવા માટે સીએમ આવાસ પર પહોંચ્યા હતા. તમામ ધારાસભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને કહ્યું કે ભાભી ભાજપ અરવિંદ કેજરીવાલ પર રાજીનામું આપવા માટે ઘણું દબાણ કરશે. જાળ બિછાવીશું તેવી ભાજપની નીતિ રહી છે. માત્ર ભાભી જ પાર્ટીમાંથી સીએમ સુધીનો સંદેશો લઈ જઈ શકે છે અને ત્યાંથી સંદેશા લાવી શકે છે. તમામ ધારાસભ્યોએ કહ્યું કે તમે સીએમને આ સંદેશ આપશો કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને રહેશે. મુખ્યમંત્રી વતી ભાભીએ કહ્યું છે કે ધારાસભ્યો મારી ચિંતા ન કરે, હું બિલકુલ ઠીક છું.

ભારતીય જનતા પાર્ટીના નેતા બાંસૂરી સ્વરાજે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ હવે ’સત્તાવાર રીતે’ તેમનું પદ સંભાળી રહી છે. રાજ્ય ભાજપના સચિવ અને નવી દિલ્હી લોક્સભા બેઠકના પક્ષના ઉમેદવાર સ્વરાજે પણ વિપક્ષ ’ભારત’ ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, રવિવારે રામલીલા મેદાનમાં યોજાયેલી ગઠબંધનની રેલી ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો ’ફ્લોપ શો’ હતો.

દરમિયાન આપના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કરે સ્વરાજના નિવેદન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે રેલીમાં કેજરીવાલને મળેલા ’વિશાળ જાહેર સમર્થન’થી ભાજપ સંપૂર્ણપણે હચમચી ગયું છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સ્વરાજે AAP ને સ્પષ્ટતા કરવા કહ્યું કે શું સુનિતા કેજરીવાલ હવે સત્તાવાર રીતે મુખ્યમંત્રી છે કારણ કે તે મીડિયા સંદેશા પહોંચાડવા માટે દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશીનો ઉપયોગ કરી રહી છે.