ચોમાસામાં આઠ ટકાની ખાધને લીધે ખરીફ પાક પર અસર પડશે

નવીદિલ્હી, દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસાના વરસાદમાં લાંબા સમય સુધી વિરામને કારણે ખરીફ પાકની ઉપજને ફટકો પડવાનો ભય છે. તે આગામી રવી વાવણીમાં પણ વિલબં કરી શકે છે. મુખ્ય કૃષિ રાયો, જેમ કે મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ , આંધ્રપ્રદેશ, પંજાબ અને ગુજરાત, ઓગસ્ટમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વરસાદમાં મહિનાની લાંબા ગાળાની સરેરાશની સરખામણીમાં ૩૦-૮૦ ટકાની ખાધ જોવા મળી છે.હવામાન શાસ્ત્રીઓને અહીંથી ચોમાસાના વરસાદમાં કોઈ મોટું પુનત્થાન દેખાતું નથી, જોકે તેઓએ ૫-૬ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડી પર કેટલીક ગતિવિધિની આગાહી કરી હતી.

અર્થ સાયન્સ મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવે જણાવ્યું હતું કે અલ્નીનો હોય એવા ૭૦ ટકા વર્ષેામાં ભારતમાં સપ્ટેમ્બર મહિના દરમ્યાન વરસાદની ૧૦ ટકા ઘટ રહે છે. આ વર્ષે ચોમાસું લગભગ ૮ ટકાની ખાધ સાથે સમા થઈ શકે છે – આઠ વર્ષમાં સૌથી ખરાબ, રોઇટર્સના અહેવાલમાં તાજેતરમાં અનામી મેટ અધિકારીઓને ટાંકીને જણાવાયું છે.

જોકે, રાજીવને જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના પ્રથમ સાહ પછી વાસ્તવિક મોસમી ખાધનું સ્પષ્ટ્ર ચિત્ર ઉભરી આવશે. ઘણા રાયોમાં લાંબા સમય સુધી સૂકા સમયગાળાને કારણે ખરીફ પાક પર અસર થવા લાગી છે. અને જો આગામી ૧૦-૧૫ દિવસમાં યોગ્ય રીતે વરસાદ ન પડે તો જ્યાં સિંચાઈની સુવિધા સારી રીતે વિકસિત નથી તેવા વિસ્તારોમાં ઉપજ ઘટી શકે છે. નિષ્ણાતોના મતે જે વિસ્તારોમાં સિંચાઈ ઉપલબ્ધ છે ત્યાં ઉત્પાદકોનો ખર્ચ વધશે.

ઈન્દોર સ્થિત સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્રારા કરવામાં આવેલા પાક આરોગ્ય સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે ઓગસ્ટમાં વરસાદમાં અભૂતપૂર્વ ઘટાડો થયો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે જયારે સોયાનો પાક અત્યાર સુધી પોતાની રીતે જ રહ્યો હતો, ત્યારે વરસાદની તાત્કાલિક જરૂર હતી. વરસાદમાં કોઈપણ વિલબં સમગ્ર દેશમાં સોયાબીનના પાક માટે હાનિકારક સાબિત થશે. ઉપજના નુક્સાનની હદ વરસાદના પુનત્થાન પર નિર્ભર રહેશે, અને આજે એકંદર પાકની આગાહી કરવી અકાળ છે. આગામી ૪૫ દિવસમાં ચોમાસું કેવી રીતે વર્તે છે તેના પર બધું નિર્ભર રહેશે, એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું.