છાપરી એમ.બી. જૈન અંધ વિદ્યાલય ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ

દાહોદ,એમ.બી.જૈન અંધ વિદ્યાલય, છાપરી ખાતે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડો. એન.એન. નાગર, એમ.જે.એફ. કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફીભાઈ કાપડિયા, પ્રમુમ લાયન તુલસીબેન શાહ, સેરેટરી લાયન સૈફીભાઈ પીટોલવાલા, ખજાનચી લાયન કમલેશભાઈ લીમ્બાચીયા, લાયન અર્પિલ શાહ, લાયન રાધેસ્યામભાઈ શર્મા, લાયન રાજકુમાર સાહેતાઈ, આચાર્ય, ટ્રસ્ટી તથા લાયન મિત્રો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.