કરિયર ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ વેલ્યુ અડેડ કોર્સ અંતર્ગત ડો. જયંત પરમારની વ્યાખ્યાન માળાનું આયોજન

લુણાવાડા, આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટ અંતર્ગત કોલેજના પૂર્વ વિધાર્થી ડો. જયંત પરમાર દ્વારા કોલેજના વિધાર્થીઓને ખુબજ રસાત્મક શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું. ત્રીસ કલાક સુધી સતત ચાલનારા આ કાર્યક્રમમાં જયંત પરમાર કરિયર ઇન ઇવેન્ટ મેનેજમેન્ટના વિવિધ પાસાઓ પર વિગતે વ્યાખ્યાનો આપશે. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડો. અભય પરમારે ડો. જયંતનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. કામિની દશોરા એ કર્યું હતું.