બજેટની જાહેરાત બાદ જાણો શું છે સસ્તું અને શું મોંઘું…

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે (૨૩ જુલાઈ) મોદી ૩.૦નું પ્રથમ બજેટ રજૂ કર્યું. આમાં સીતારમણે ઘણા મહત્વપૂર્ણ ઉત્પાદનો પર ટેક્સ વધારવા અને ઘટાડવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ, બજેટમાં આ જાહેરાતો પછી કઈ વસ્તુઓ મોંઘી થવાની આશા છે અને કઈ વસ્તુઓ સસ્તી થવાની આશા છે.

કેન્સર સંબંધિત ત્રણ દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી. એક્સ-રે ટ્યુબ અને લેટ પેનલ ડિટેક્ટર પરની આયાત ડ્યૂટી પણ દૂર કરવામાં આવી હતી.

મોબાઈલ ફોન અને પાર્ટ્સ-પીસીબી અને મોબાઈલ ફોન ચાર્જર પર કસ્ટમ ડ્યૂટીમાં ૧૫ ટકાનો ઘટાડો.

૨૫ આવશ્યક ખનિજો પર કોઈ કસ્ટમ ડ્યુટી નથી.

સોલાર સેલ અને સોલર પેનલના ઉત્પાદન પર કર મુક્તિ.

સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા કરવામાં આવી હતી. જ્વેલરી સસ્તી થશે.

પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી હવે ઘટાડીને ૬.૪ ટકા કરી દેવામાં આવી છે.

માછલી અને અન્ય જળચર પ્રાણીઓની ખાદ્ય ચીજવસ્તુઓ પરની આયાત જકાત વધારીને પાંચ ટકા કરવાનો નિર્ણય.

તમારે આ વસ્તુઓ માટે વધુ પૈસા ચૂકવવા પડશે

પીવીસી લેક્સ બેનરો આયાત કરવા મોંઘા પડશે.

કેટલાક ટેલિકોમ સાધનોની આયાત મોંઘી થશે. મૂળભૂત કસ્ટમ ડ્યુટી ૧૦% થી વધીને ૧૫% થઈ. મેક ઈન ઈન્ડિયા હેઠળ દેશમાં બનતા સસ્તા ઘરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સરકારની જાહેરાત.

એક વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવેલ ઇક્વિટી રોકાણ મોંઘા બનશે. ટેક્સ ૧૫% થી વધારીને ૨૦% કરવામાં આવ્યો.

એક વર્ષથી વધુ સમયથી રાખવામાં આવેલા શેર મોંઘા થશે. ટેક્સ ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવ્યો છે.

એમોનિયમ નાઈટ્રેટ પરની આયાત જકાતમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

બિન-ડિગ્રેડેબલ પ્લાસ્ટિક મોંઘું થશે. આયાત ડ્યુટીમાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.